ક્રમ | યોજનાનું નામ | નિદાન કેમ્પો યોજવા/સુવર્ણ પ્રાશન/અમૃતપેટ વગેરે યોજવા |
---|---|---|
૧ | યોજના કયારે શરૂ થઇ | દર વર્ષે આ કેમ્પો યોજવામાં આવે છે. |
૨ | યોજનાનો હેતુ | નિદાન કેમ્પ દ્વારા પછાત વિસ્તારોના અંતરીયાળ ગામોમાં ચિકિત્સાની સુવિધા પુરી પાડવી. સુવર્ણપ્રાશન (આયુર્વેદીક ઇમ્યુનાઇઝેશન) દ્વારા ભાવિ પેઢીને મેઘાવી બનાવવી. હોસ્પિટલની ફાજલ જમીનમાં ઔષધીય રોપાઓનો ઉછેર કરવો વગેરે... |
૩ | યોજના વિશે માહિતી | ઉપર દર્શાવેલ નિદાન કેમ્પો/સુવર્ણપ્રાશન/અમૃતપેય વગેરે આ હોસ્પિટલનાં ખર્ચથી જ કરવામાં આવે છે. જેમાં: હોસ્પિટલના સ્ટાફનાં સહકારથી જ આવા કેમ્પો યોજવામાં આવે છે. |
૪ | યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. | જોડિયા તાલુકાના આસપાસનો ગ્રામ્ય વિસ્તાર બાદનપર, કુનડ, હડીયાણા, લીંબુડા, ભાદરા, લખતર, કેશીયા, બાલંભા, દુધઇ, પીઠડ વગેરે ગામની તથા તેની આજુ-બાજુની પ્રજામાં આયુર્વેદ પદ્ધતિ દ્વારા જાહેર સ્વાસ્થ્ય સુખાકારી. તેમજ ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ દ્વારા પ્રજાનું જાહેર આરોગ્ય સાચવવું, અને પંચકર્મ પદ્ધતિ તથા યોગ દ્વારા પ્રજાને સારવારની સુવિધા પુરી પાડવી. તેના માટે ગામનાં સરપંચ અથવા તો ગ્રામ સેવકને મળવાનું રહે છે. |
૫ | યોજનાના લાભાર્થી માટેની લાયકાત | - |